પ્રકૃતિ અને પરંપરાનું સંગમ

શાશ્વત કૃષિ અને પ્રાકૃતિક
ખેતીનું અમૃત જ્ઞાન

સસ્યવેદ એટલે કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચાડ્યા વગર છોડ અને તે આાધારીત ખેતી–પશુપાલન ના વિકાસ માટે જરૂરી જ્ઞાન.

Agriculture
અમારા વિશે

સસ્યવેદ માં આપનું
સ્વાગત છે

સંસારમાં ભુમી પરના, માનવ સહિત, મોટા ભાગના જીવો તેના અસ્તિત્વ માટે છોડ પર આધાર રાખે છે. બીજ માટીમાંથી પોષણ અને ભેજ મેળવીને છોડ તરીકે વિકસે છે. આ છોડ માનવ અને પશુની વિવિધ જરૂરિયાતો સંતોષે છે.

જંગલમાં છોડ કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચાડ્યા વગર વિકસતા આવ્યા છે. માનવ જાતે જ્યારથી તેનો ઉપયોગ કરીને ખેતી–પશુપાલન વિકસાવવાનો પ્રયાસ કર્યો ત્યારથી કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચવાનું શરૂ થયું છે.

સંસ્કૃતમાં સસ્ય એટલે છોડ અને વેદ એટલે જ્ઞાનનો સંપુટ. સસ્યવેદ એટલે કુદરતી સ્ત્રોતોને નુકશાન પહોંચાડ્યા વગર છોડ અને તે આાધારીત ખેતી–પશુપાલન ના વિકાસ માટે જરૂરી જ્ઞાન.

ખેતી–પશુપાલનના વિકાસની ચિરંજીવીતા વધારવા માટે જે જ્ઞાન જરૂરી છે તે અંકે કરી વેબસાઇટના માધ્યમથી માતૃભાષામાં વધુ લોકો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

શૈલેષ વ્યાસ સ્થાપક, સસ્યવેદ
જ્ઞાન સંપુટ

કૃષિ જ્ઞાન ભંડાર

કૃષિ અને પશુપાલન વિશેનું ઊંડું અને સચોટ જ્ઞાન હવે તમારી માતૃભાષા ગુજરાતીમાં. દરેક લેખ પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ છે.

01

ટકાઉ ખેતી પદ્ધતિ : કુદરતના વ્યવસ્થાપનની સમજ

02

પાક પોષક તત્વો, તેની ઉણપના લક્ષણો અને લો ઓફ મીનીમમ

03

માટી અને પિયતના પાણીના નમુના લેવાની રીત

05

માટીનું મૂલ્યાંકન: જમીન ચકાસણી રિપાર્ટની સમજ

08

કમ્પોસ્ટ ખાતરનું મહત્ત્વ અને અગત્યના મુદ્દાઓ

12

ટકાઉ ખેતી માટે યોગ્ય બીજની અગત્યતા અને તે માટે બીજ સંવર્ધન

13

ખેતી અને બાગાયતી પાકોના રોગ જીવાતોનો પરિચય

14

પાકમાં રોગ અને જીવાતોને આવતાં અટકાવવાની પદ્ધતિઓ

15

રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ